અમારા વિશે

  • આપણા રાષ્ટ્રને સ્વાતંત્ર્યપ્રાપ્તિના ૭૫ વર્ષ થઇ રહ્યા છે ત્યારે સમગ્ર દેશ “આઝાદી કા અમૃત મહોત્સવ" કાર્યક્રમ વિવિધ સ્વરૂપે મનાવી રહેલ છે.
  • રાજ્યની તમામ યુનિવર્સિટી, સરકારી, અનુદાનિત તેમજ સ્વનિર્ભર કોલેજો તથા ટેકનીકલ શિક્ષણ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓમાં અભ્યાસ કરતા યુવાન વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણની ભાવના પ્રજ્વલિત થાય તે માટે પસંદ કરેલ ક્ષેત્રોમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર સમાજ તેમજ રાજ્યના નાગરિકો માટે ઉપકારક અને કલ્યાણકારી બની રહે તેવી પ્રવૃત્તિઓમાં પોતાની રૂચિ અનુસાર સ્વેચ્છાએ જોડાઇ સ્પષ્ટ સંદેશ તેમજ શીખ રજૂ કરી શકે તે હેતુસર “અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ - શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ” યોજના ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૧થી આ કાર્યક્રમ અમલી થયેલ છે.

જ્યારે દેશ "આઝાદી કા અમૃત મહોત્સવ" ઉજવી રહ્યું છે ત્યારે..


74
સહભાગીઓ

સંસ્થાઓ

ગામડાઓ

પ્રવૃતિઓ

સહભાગીઓ

પાંચ પ્રકલ્પ

  • (૧) કોરોના સંક્રમણ અટકાવવા તથા રસીકરણ અંગે

    • કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા તેમજ ૧૦૦ ટકા રસીકરણનો લક્ષ્યાંક પ્રાપ્ત થાય, અપેક્ષિત વર્તનની સમજ વિકસે, સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્ક ઉપયોગ બાબતે તે બાબતે જનજાગૃતિ વિકસે તેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે
    • યુનિવર્સીટી તેમજ કોલેજ કેમ્પસમાં ફરજીયાત રસીકરણ ઝુંબેશ થાય તે સુનિશ્ચિત કરવાશે
    • આ બાબતને કેન્દ્ર સ્થાને રાખી સૂચવેલ પ્રવૃત્તિઓના આયોજન અને અમલીકરણ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો સહયોગ મેળશે


    પ્રવૃત્તિઓ


    ગામડાઓ


    સહભાગીઓ


    View more
  • (૨) પર્યાવરણ, સ્વચ્છતા, જળ સંરક્ષણ તેમજ જળસંચય

    • પર્યાવરણ, સ્વચ્છતા, જળ સંરક્ષણ તેમજ જળ સંચય માટે વૃક્ષારોપણ, ફળાઉ તેમજ ઔષધ વૃક્ષોનું વાવેતર વધે તેમ, હયાત વૃક્ષોની જાળવણી, જળ સંચય અને જળ સંરક્ષણ પ્રત્યે લોકોને જાગૃત કરવા, ગ્રીન વિલેજ, ક્લીન વિલેજ, સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા બાબત, હરિત ઉર્જા, બાયોગેસનો ઉપયોગ વિગેરે બાબતે લોકોને પ્રેરિત થાય તેવા પ્રયાસ કરાશે.
    • સૂચવેલ પ્રવૃત્તિઓના આયોજન અને અમલીકરણ માટે વન અને પર્યાવરણ વિભાગ, સિંચાઈ તેમજ પાણી પુરવઠા વિભાગ, સ્વચ્છ ભારત મિશન તેમજ વિસ્તારમાં આવેલ ગ્રામીણ વિકાસ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓનો સહયોગ મેળી રહેશે.


    પ્રવૃત્તિઓ


    ગામડાઓ


    સહભાગીઓ


    View more
  • (૩) ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી

    • દેશી ગાયના જતન, રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનને થતા નુકશાન બાબતની જાણકારી સરળ રીતે આપી શકાય, પરંપરાગત ખેતીથી મેળવવામાં આવતા પાક તેમજ પ્રાકૃતિક ખેતીથી મેળવવામાં આવતા પાક વચ્ચેના ગુણવત્તા બાબતે ભેદ સમજાવી શકાય તેવી પ્રવૃત્તિઓ યોજાશે
    • પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નમૂનારૂપ કામગીરી કરેલ હોય તેવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કે વાર્તાલાપ ગોઠવી શકાય.
    • સૂચવેલ પ્રવૃત્તિઓના આયોજન અને અમલીકરણ માટે કૃષિ વિભાગ સાથે જોડાયેલ યુનિવર્સીટી, ખેડૂત તાલીમ કેન્દ્રો, ગ્રામ વિદ્યાપીઠો, ગ્રામ સેવકોનો સહયોગ મળશે.


    પ્રવૃત્તિઓ


    ગામડાઓ


    સહભાગીઓ


    View more
  • (૪) નશાબંધી તેમજ કુરિવાજ નિવારણ (દહેજ પ્રથા તેમજ ભૃણ હત્યા નિવારણ)

    • દારુ, તમાકુ, ડ્રગ્સના ઉપયોગથી આરોગ્યને થતું નુકશાન તેમજ વ્યક્તિની સામાજિક સ્થિતિને થતા નુકશાન વિશે સમજ, નશાબંધી સપ્તાહની ઉજવણી, વ્યસનથી લોકો મુક્તિ મેળવી શકે તે માટે જાણીતી સંસ્થાઓના વ્યસન મુક્તિને લગતા પ્રદર્શનો ગોઠવાશે
    • બેટી બચાવો બેટી પઢાઓને મહત્વ, દિકરા અને દિકરીઓના જન્મના પ્રમાણમાં તફાવત દૂર થાય તેમજ ભૃણ હત્યા અટકાવવા લોકજાગૃતિ કેળવવી, દિકરીઓના લગ્ન પ્રસંગે દહેજ પ્રથા નાબૂદ તેમજ દહેજ આપવા કરતાં દીકરીઓ સ્વાભિમાન સાથે જીવન પસાર કરી શકે તેવું શિક્ષણ તેઓને મળે તે બાબતે લોકોને જાગૃત કરવા સૂચવેલ પ્રવૃત્તિઓના આયોજન અને અમલીકરણ માટે નશાબંધી અને આબકારી વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો સહયોગ મળી રહેશે.


    પ્રવૃત્તિઓ


    ગામડાઓ


    સહભાગીઓ


    View more
  • (૫) ફીટ ઇન્ડીયા (રમતગમત તેમજ ખેલકૂદને ઉત્તેજન)

    • યુવા વિદ્યાર્થીઓને સાક્ષરી વિષયોના અભ્યાસ ઉપરાંત રમતગમત ક્ષેત્રે રસ અને રૂચિ કેળવાય, શરીર સ્વાસ્થ્ય અને ફિટનેસ અંગે જાગૃતી, ખેલકૂદની સ્પર્ધાઓમાં મહત્તમ વિદ્યાર્થીઓ જોડાય તેમજ વિદ્યાર્થીઓનો બહુર્મુખી વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ યોજાશે
    • ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાના રસ તેમજ રુચિ અનુસારની રમતોમાં ભાગ લઇ કૌશલ્ય દેખાડવાની તક મળે તે પ્રકારના વિવિધ સ્તરીય વ્યાપક આયોજનો ગોઠવવાશે
    • સૂચવેલ પ્રવૃત્તિઓના આયોજન અને અમલીકરણ માટે યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળની સ્થાનિક રમત ગમત કચેરીનો સહયોગ મળશે


    પ્રવૃત્તિઓ


    ગામડાઓ


    સહભાગીઓ


    View more
  • View more

      ૬) આઝાદી પ્રાપ્તિમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન તેમજ જીવન પરિચય બાબત


    • અગ્રેજ શાસન હેઠળના લાંબા સમયના ગુલામીકાળ બાદ દેશને સ્વતંત્રતા અપાવવામાં સેંકડો શહીદો તેમજ ક્રાંતિવીરોનું અભૂતપુર્વ યોગદાન છે
    • આજના યુવાનોમાં રાષ્ટ્ર ભક્તિની ભાવના વિકસે તે માટે આઝાદીના લડવૈયાઓના સંઘર્ષ અને સમગ્ર જીવન બાબતે પરિચય મળી રહે તે પ્રકારના વાર્તાલાપ, શેરી નાટકો, ચર્ચાસભા, નિબંધ સ્પર્ધા વિગેરે બાબતે પણ પ્રવૃત્તિઓ યોજશે.
    • વિવિધ વિસ્તાર તેમજ ગામોમાં આવેલ સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ મહાપુરુષોની પ્રતિમાઓની સફાઈ વિદ્યાર્થીઓ દ્વારા થાય તેમજ ફૂલહાર અર્પણ થાય તેવું આયોજન કરાશે.

    View more

ફોટો ગેલેરી